ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા લીલાબેન દેવજીભાઈ પારધીએ ગઈકાલના રોજ પોતાના ઘરે હોય તે વખતે સવારના સમયે જમણા હાથમાં કંઇક ઝેરી જનાવર કરડી જતા સારવાર અર્થે પ્રથમ ટંકારા હોસ્પિટલ ખસેડી ગયા હતા જે બાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખેસડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

