HomeGujaratમોરબીના મકનસરમાંથી SOGએ 10 બાંગ્લાદેશીને ડીટેઈન કર્યા

મોરબીના મકનસરમાંથી SOGએ 10 બાંગ્લાદેશીને ડીટેઈન કર્યા

જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાં એક તરફ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા અલગ અલગ એક્શન પણ લેવામાં આવી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલના આદેશ આપ્યા છે જેને લઇ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસણી કરવા તમામ જિલ્લા પોલીસ અને મેટ્રો સિટીમાં પોલીસ કમિશ્નર ને કરેલા આદેશને પગલે ઠેર ઠેર ચકાસણી થઈ રહી છે જેના ભાગરૂપે મોરબીમાં ગત શનિવારે રાત્રે સોની બજારમાં એસ ઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને બંગાળી કારીગરો ની તપાસની કરી હતી દરમિયાન રવિવારે રાત્રે એસઓજીને ઈનપુટ મળ્યા હતા કે મકનસર ગામ નજીક વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોર રહેતા હોય આ બાતમી આધારે એસઓજી પી આઈ એન આર મકવાણા અને તેની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં 10 બાંગ્લાદેશી મળી આવતા તેમને ડીટેઈન કરી વધુ પૂછ પરછ માટે એસઓજી ઓફીસ ખાતે લાવવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW