મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા જાળવણી (મેન્ટેનન્સ)ની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. 05/08/2026, બુધવારના રોજ સવારે 8:30 થી સાંજે 4:30 વાગ્યા સુધી બાથકો જેજીવાય ફીડર અને કોસ્મો જેજીવાય ફીડર હેઠળ આવતાં વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
આ દરમિયાન અમરનગર, દાદાશ્રીનગર, ઇન્દિરાનગર, ધર્મમંગલ વિસ્તાર, પીપરવાડી વિસ્તાર તેમજ શિવમ હોસ્પિટલ પાછળનો વિસ્તાર સહિત બંને ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વ્યાવસાયિક (કોમર્શિયલ) અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો ખોરવાશે. ઉપરાંત, આ માર્ગ પર આવેલા વિવિધ કોમ્પ્લેક્ષોમાં પણ વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં.

