સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસરની ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી નઓફ જેમ્સ નામની કંપનીમાં ઘટના બની છે. પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હતી.


