ગુજરાત સરકાર દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ માધવપુર મેળા 2025 નિમિત્તે સરકાર દ્વારા ભારતના 1600 કલાકારો દ્વારા વિવિધ શહેરોમાં મેગા ઇવેન્ટનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. જેમાં મોરબીના સાર્થક વિદ્યામંદિર પ્રાચીન ગરબામાં પોતાનું પર્ફોમન્સ તા.1 એપ્રિલ થી 10 એપ્રિલ દરમિયાન સુરત, વડોદરા, અમદાવાદ, સોમનાથ, માધવપુર અને દેવભૂમિ દ્વારકા ખાતે રજૂ કરશે. જેમાં શાળાના માર્ગદર્શન હેઠળ 16 જેટલી વિદ્યાર્થીની બહેનો પરફોર્મન્સ આપી રહી છે. જે કૃતિના કોરિયોગ્રાફર રવિરાજભાઈ કરી રહ્યા છે. મોરબીની દીકરીઓ ગુજરાતના અનેક મેગા સિટીમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે. અધિકારી હિરલબેન વ્યાસ તેમજ સંપૂર્ણ જિલ્લા યુવા વિકાસ અધિકારીઓની ટીમ તમામ ક્ષેત્રે મોરબી જિલ્લાના પ્રોત્સાહન સાથે કલાકારોને સન્માન અને તક આપી.


