હળવદ તાલુકાના ચરાડવા બસ સ્ટેશન નજીકથી જીજે 36 ડબ્લ્યુ 7174 નંબરની રીક્ષામાં જગ્યા ન હોવા છતાં ક્રુરતા પૂર્વક બે પાડા ને બાંધી પાણી કે ઘાસની સગવડ વિના લઇ જતા હતા તે દરમિયાન જીવ દયા પ્રેમીઓને જાણ થતા તેઓ સ્થળ પર પહોચી ગયા હતા પાડાઓને છોડાવ્યા હતા બાદમાં આ અંગે પોલીસને જાણ કરતા હળવદ પોલીસ સ્થળ પર પહોચી હતી બાદમાં તપાસ હાથ ધરતા રીક્ષા ચાલક અને તેની સાથે રહેલી મહિલા એ પશુ ક્રુરતા અધિનિયમનો ભંગ કર્યા હોવાનું સામે આવતા રીક્ષા ચાલક જયેશ બચુભાઈ સલાટ અને હ્સીબેન રૂપાભાઇ સલાટ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

