HomeGujaratતમામ માંગણી સ્વીકારવાની ખાતરી મળતા અંતે માળિયા મીયાણા ચાલતા ઉપવાસ આંદોલનનો અંત...

તમામ માંગણી સ્વીકારવાની ખાતરી મળતા અંતે માળિયા મીયાણા ચાલતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો

મોરબી જિલ્લાના માળિયા મિયાણા નગરપાલિકા કચેરી વિસ્તારમાં સતત વહીવટી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરી નવી સુવિધા પૂરી પાડવાના બદલે હતી એ સુવિધાઓ પણ છીનવાઈ જતા માળિયા મિયાણાના લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી હતી આટલું ઓછુ હોય તેમ તંત્ર દ્વારા ચોમાસામાં દસ્તાવેજ પલળી જતા હોવાનું બહાનું આગળ ધરી મામલતદાર કચેરીને દુર ખસેડવાની હિલચાલ થતા માળીયા મિયાણા શહેરના સામાજિક કાર્યકર ઉપવાસ  ઝુલ્ફીકાર સંઘવાણીની દ્વારા માળીયાના સ્થાનિક પાંચ પ્રશ્નોને લઈને આંદોલન છેડવામાં આવ્યું હતું.

મામલતદાર કચેરીનું શહેરમાં જ બનાવવા ઉપરાંત બસ સ્ટેશનનું નવનિર્માણ કરવા, SSC બોડૅ પરીક્ષાનું કેન્દ્ર ફરીથી શરૂ કરવા, રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ અને સ્ટાફ ક્વાર્ટર અને ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા રેલવે જંકશન પરથી પસાર થતી તમામ ટ્રેનોનો સ્ટોપ આપવા જેવી એમની પાંચ માંગણી ઓ મૂકી હતી. આ ઉપવાસ આંદોલનનો એક સપ્તાહ જેટલો સમય થવા છતાં તંત્રે મચક આપી ન હતી. જેના કારણે રવિવારના રોજ આન્દોલન કર્તા ઝુલ્ફીકારની તબિયત લથડતા શહેરી જનોએ એમના રોષમાં માળીયા મિયાણા સંપૂર્ણ ઘંઘા રોજગાર બંઘ રાખી આક્રોશ દર્શાવ્યો હતો, સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો, મિયાણા સમાજના આગેવાન અને સ્થાનિક લોકો કલેકટર કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. કલેકટરે તેઓની રજૂઆત સાંભળી હતી અને યોગ્ય કાર્યવાહી ની ખાતરી આપી હતી. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઝુલ્ફીકાર સંઘવાણીની તબિયત સુધરતા હોસ્પિટલમાં તેમને રજા આપવામાં આવી હતી. બાદમાં આજે ફરી તેઓ ઉપવાસી છાવણીએ પહોચ્યા હતા અને ત્યાં સરકારી તંત્ર દ્વારા પહોચ્યું હતું. માળીયા મામલતદાર હસ્તક પાંચે પાંચ માગણીઓની લેખિતમાં ખાતરી આપી એમના પારણા કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW