મોરબીના વિસીપરા નજીક આવેલ શાંતિવન સ્કુલની પાસે રહેતા મૂળ ઉત્તર પ્રદેશનો યુવાન બોબી બાલક્રિષ્ણ જાટને તેના મોટાભાઈ રાજેશ દ્વારા ઘણા ફોન કરવા છતાં તેનો કોન્ટેક્ટ ન થતા કશું અજુગતું બન્યા હોવાની આશંકા થતા શનિવારના રોજ તેના રૂમમાં આવ્યો હતો રૂમ અંદરથી બંધ હોવાથી તેને ખોલવાં પ્રયાસ કર્યો હતો પણ ન ખુલતા તેને પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ સ્થળ પહોચી હતી અને દરવાજો તોડતા અંદરથી બોબીનો સળગેલ હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી પ્રસરી ગઈ હતી ઘટના બાદ પોલીસે તાત્કાલિક મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરીહતી જોકે યુવકના સળગવાનું કારણ સામે આવી શક્યું નથી તેથી આ મોત અકસ્માત છે કે આપઘાત કે અન્ય કોઈ કારણ તે સામે આવી શક્યુ નથી હાલ આ બનાવમાં બી ડીવીઝન પોલીસે એડી નોધ કરી તપાસ શરુ કરી હતી.

