મોરબીના ઘુટું ગામની સીમમાં આવેલ સનારીયા સિરામિકમાં કામ કરતા અને મૂળ યુપીના વતની પિયાંશુ જયગોવિંદ પટેલ નામના યુવાને કોઇ છોકરી સાથે પ્રેમ સબંધ હોય અને ફોનમાં વાતચીત કરતો હોય જે બાબતે કોઇ અણબનાવ બનતા મનોમન લાગી આવ્યું હતું. જે બાબતે ગઈકાલના રોજ સનારીયા સીરામીક કારખાનાની લેબર કોલોનીના બીજા માળે આવેલ છતના ભાગે લગાવેલ પંખા સાથે રબરની પટી બાંધી ગળેફાસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને થતા તેના મુત્યુ અંગે નોધણી કરી તપાસ હાથ ધરી છે.

