માળીયા ગામની સીમમાં આવેલ લલીતભાઈ ભગવાનજીભાઈ વિડજાની વાડીએ તેમના પતિ અને સાસુ સાથે રહેતા અને મૂળ છોટાઉદેપુરના વતની નીકીતાબેન સોમાભાઈ નાયકાની દીકરી ગત તા.-19/11/2024ના રોજ પગે દાઝી ગયેલ હોય જેથી સાસુએ ઠપકો આપતા નીકીતાબેનને લાગી આવતા પોતાના ખેતરે પોતાની મેળે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, જે બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં પરણીતાનો લગ્ન ગાળો 3 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

