સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા રાવરીયાવદર ગામમાં ગત તારીખના રોજ પાંચ વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી આ ઘટનામાં આરોપી હાલ ઝડપી લીધો હતો અને હાલ આરોપી જેલ હવાલે હોય ત્યારે આં ઘટનામાં હળવદ તાલુકા કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આરોપી વિરૂદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અને ફાંસી ની સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરી હતી. અને આવા જઘન્ય કૃત્ય કરનારને કડક કાયદાનો પાઠ ભણાવી દાખલો બેસાડવામાં માગ કરી હતી જેથી ભવિષ્યમાં આવી ઘટના પર અંકુશ લાવી શકાય

