હળવદના ખારીવાડમાં રહેતા બ્રિજેશભાઈ દયારામભાઈ ચાવડા નામનો યુવાન ગઈકાલે પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતી હોટલ પાછળ આવેલ નર્મદા કેનાલમા ડુબી જવાથી તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

