મોરબીના તાલુકા પોલીસ મથકની હદમાં થયેલી એક હત્યાના કેસમાં ઝડપાયેલ આરોપી અર્જુન જવરચંદ ગામર નામનો કેદી મોરબી જેલમાં બંધ હતો અને લાંબા સમયથી ટીબી બીમારી હોવાથી સારવાર પણ ચાલુ હતી દરમિયાન ગત તા 6 ના રોજ ટીબીને કારણે તબીયત લથડતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો રાજ્લોતમાં ગતા તા.12 ના રોજ રાત્રીના સમયે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે એ ડીવીઝન પોલીસે એડી નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

