HomeGujaratમાળિયાના નવાગામમાં દર પાંચ દિવસે પાણી વિતરણ આંગણવાડી જર્જરીત

માળિયાના નવાગામમાં દર પાંચ દિવસે પાણી વિતરણ આંગણવાડી જર્જરીત

મોરબી જિલ્લાનો અવિકસિત માળિયા પંથકના કોઈને કોઈ ગ્રામ્ય વિસ્તારની સુવિધાઓના અભાવે દર્દનાક દાસ્તાન બહાર આવતી જ રહે છે. એક સમયે રોટી કપડાં ઓર મકાન અને ગરીબી હટાવી ગરીબોને બચાવો એવા રૂપાળા બેનર હેઠળ આઝાદી પછીની દરેક નબળી નેતાગીરી આ દિશામાં જરાય કામ જ ન કરીને નર્યો સ્વ વિકાસ કરતા છેવાડાના ગામોની તાસીર અને તસ્વીર ફેઈલ થઈ ગઈ નથી. માળિયાના નવા ગામે એકેય સુવિધાઓના ઠેકાણા ન હોવાની દારુણ દાસ્તાન સામે આવી છે.

માળિયા તાલુકાના નવા ગામમા વર્ષો જુનું ગામ છે ભૂતકાળમાં આ ગામમાં પ્રાથમિક જરૂરીયાતથી લઇ તમામ સુવિધા મળતી હતી પરંતુ ધીમે ધીમે વહીવટી તંત્ર દ્વારા ગામના વિકાસ માટે જરૂરી પગલા ન ભરતા ગામમાં સુવિધાઓ છીનવાતી ગઈ એક સમયે ગામની ખેતી સમૃદ્ધ હતી તે સિચાઈની સુવિધા ન મળતા ધીમે ધીમે ગામ સમય સાથે સુવિધાઓ ઓછી થવા લાગી રોજગાર અને શિક્ષણ ન મળતા લોકો ધીમે ધીમે શહેર તરફ વળવા લાગ્યા આ ગામને જ નહીં એક આખા તાલુકાનો વર્ષોથી જે પણ સરકારો આવી એ વચનો આપીને ભૂલી ગઈ અને વોટ બેન્ક માટે તેમનો ઉપયોગ કરતો હોય આ ગામના યુવાનોને તંત્ર અને નેતાઓ તેમજ સરકાર સામે છૂપો આક્રોશ મનની અંદર ધરબાવીને બેઠા છે. આ ગામને ઘણા વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન નડે છે. છેલ્લા થોડા વર્ષોથી માળિયાના ખીરઇ સંપમાંથી નર્મદાનું પાણી મોટી બરાર ગામેથી નવા ગામે આપવામાં આવે છે. પણ છેલ્લા છ મહિનાથી પાણીના વારંવાર ધાધિયા સર્જાય છે અને હવે તો છેક પાંચ છ દિવસ માટે પાણી આપવામાં આવે છે. પાણીનો સમય તો નિર્ધારિત છે. પણ પાણી અપૂરતું આવતું હોય એ બહુ જ મોટી અને ગંભીર સમસ્યા છે. જ્યારે ગામની આંગણવાડી ઘણા સમયથી જર્જરિત હોય એની સહિતની અનેક સમસ્યાની રજુઆત કરવા છતાં તંત્રએ પોતાનો તર્કસાધુ સાધી લીધો પણ અમે તો ત્યાંના ત્યાં જ રહી ગયા એવો ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ સાથે બળાપો ઠાલવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW