ગઈકાલે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આહીર સેના મોરબી તથા જામનગર અને નવરંગ નેચર ક્લબના સયુંકત ઉપક્રમે ખાખરાળા પ્રાથમિક શાળા મુકામે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું.આ તકે આહીર સેના ગુજરાત જામનગર જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ ડેર,આહીર સેના ગુજરાત મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા,આહીર સેના મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા,નવરંગ નેચર કલબ પ્રમુખ વી.ડી. બાળા સાહેબ,આહીર સેના મોરબી જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ જીલરીયા ઉપસ્થિત રહ્યા હતાં.તેમજ બાળકો દ્વારા આપડાથી વિમુખ થતી જતી ચકલીઓને કઈ રીતે બચાવી શકાય તે મુદ્દે વક્તવ્ય તેમજ નૃત્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું.

