વાંકાનેરના ગોકુળનગરમાં રહેતા રવિભાઈ બળવંતભાઈ ચૌહાણ નામનો વેપારીયુવાન ગત તા23 ના રાત્રે દવાખાનાના કામથી રોકાયેલા હતા આં દરમિયાન તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ઘરના દરવાજા નો નકુચો તોડી તિજોરીમાં રાખેલા રું.1લાખ 80 હજાર જેટલી રકમના મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બીજા દિવસે સવારે આવતા ઘરમાં ચોરી થયાની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ મથક અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

