મોરબીના ટંકારા ખાતે યોજાનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમોમાં સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના ધર્મપત્ની દર્શના દેવી અમદાવાદથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ તકે કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પુજા યાદવ
(ઝોન-૧) સહિતના અધિકારીઓએ રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.

