હળવદ તાલુકાના સુસવાવ ગામમાં આવેલ બ્રાહ્મણી 2 ડેમમાં નર્મદાના 500 કયુસેક પાણીની આવક ચાલુ હોવાના કારણે ડેમમાં પાણીનું સ્તર 100 ટકાએ પહોચી જતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી જેના કારણે ગત રાત્રીના ડેમનો એક દરવાજો 0.5 ફૂટ ખોલી 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે અને નદીમાં પાણીની આવકને ધ્યાને લઇ લોકોની નદીના પટમાં અવજ જવર બંધ કરવામાં આવી છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા બ્રાહ્મણી 2 ડેમના હેઠળ વસમાં આવતા ગામ સુસવાવ કેદારીયા ધનાળા રાયસંગ પુર મયુરનગર મિયાણી ચાડધ્રા ટીકર અને માનગઢ સહિતના ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ માલઢોર સુરક્ષિત સ્થળ પર ખસેડવા સુચના આપવમાં આવી છે

