અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ મંદિરનો 22 મી ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે જેને લઇ સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે મોરબીના ડાયમંડ નગરમાં પણ અનોખી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જે મુજબ 22 મી સવારે ૮થી 10 દરમિયાન રામધુન બોલાવશે બાદમાં 10 થી 10:30 દરમિયાન હનુમાન ચાલીસા બાદમાં અયોધ્યા રામ મંદિર નિર્માણના પાયા ના પથ્થર એવા કાર સેવકોનું સન્માન કરવામાં આવશે બાદમાં રાસ ગરબા મહા આરતી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવશે તો અગાઉથી જ ગામના ધાર્મિક સ્થળોની સફાઈ કામગીરી પણ ચાલી રહી છે અને આવતીકાલે રામ નામ જાપ અને યજ્ઞનું આયોજન કર્યું છે

