વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં લક્ષદ્વીપના બીચ પર ફોટો શૂટ કરાવ્યું હતું અને દેશ વાસીઓને લક્ષ દ્વિપ માં ફરવા આવવા આમંત્રણ આપ્યું હતું જે બાદ માલદીવના કેટલાક મંત્રી દ્વારા લક્ષ દ્વિપ અને પીએમ નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી બાદ દેશભરમાં માલદીવ સામે વિરોધનો વંટોળ શરુ થયો છે અને તેની અસર માલદીવના ટુરિઝમ પર જોવા મળી છે દેશભરમાં માલદીવ ન બુકિંગ રદ થવા લાગ્યા છે ત્યારે મોરબીના પણ ટ્રાવેલ એજન્સીઓએ માલદીવના બુકિંગ રદ કરી દીધા છે તો જેની સામે દેશના લક્ષ દ્વિપ તેમજ અંદમાન નિકોબાર ટાપુના બુકિંગ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરી છે મોરબીના ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

