Friday, May 17, 2024
HomeGujaratમોરબી નજીક સિરામિક ફેક્ટરીમાં રહેતા યુવકે સગાઇ ન થતા કર્યો આપઘાત

મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાં રહેતા યુવકે સગાઇ ન થતા કર્યો આપઘાત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલા એલીકોન સિરામિક નામની ફેકટરીમાં રહી મજુરી કામ કરતા ધનસિગ ધુલીયાભાઇ મેડાના 19 વર્ષીય પુત્ર સોનુભાઈને બાળપણમાં રમતા રમતા આંખના ભાગે ઈજા પહોચી હતી જેથી આંખમાં કાયમી ખોટ રહી જતા તેની સગાઈ થતી ન હોય જેથી આ બાબતે સોનુને લાગી આવ્યું હતું અને લેબર ક્વાર્ટરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પિતા ધની સિંગ બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા.ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો જેના આધારે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,945FollowersFollow
1,310SubscribersSubscribe

TRENDING NOW