દિવાળીનો પર્વ એટલે સમગ્ર ગુજરાતમાં મીની વેકેશન નો માહોલ મોટાભાગના લોકો ઘરથી બહાર ફરવા નીકળી પડતાં હોય છે તો કેટલાય લોકો પોતાના વતનમાં સગા સબંધી ઘરે જતા હોય છે મોટા ભાગના લોકો પાસે વાહનની સગવડ હોતી નથી જેથી તેઓએ એસટી બસમાં મુસાફરી વધુ પસંદ કરે છે.આવા પરિવાર તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે તે માટે દિવાળીના પર્વમાં પણ એસટી કર્મીઓ ફરજ પર હાજર રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે આવા કર્મનિષ્ઠ કર્મચારીઓને આજે જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા મીઠાઈ આપી સન્માનિત કરી તેની આં ફરજ માટે બિરદાવવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ ઉપપ્રમખપદ પ્રજ્ઞેશભાઈ વાઘેલા, ભાજપ આગેવાન જયદીપભાઈ દેત્રોજા, જે પી જેસવાણી, સહિતના ભાજપ આગેવાન જોડાયા હતા.

