મોરબીના થોરાળા ગામની સીમમાં રહેતા રામનારાયણ લાલજી વર્મા નામનો 21 વર્ષનો યુવક ગત 8 માર્ચના રોજ તેનું બાઈક લઇ ખાનપર રોડ પર થોરાળા પાટિયા પાસેથી પસાર થતો હતો તે દરમિયાન તેનું બાઈક આડે કુતરું ઉતરતા બાઈક અચાનક બેકાબુ બની ગયું હતું અને જેના કારણે યુવક રોડ પર પટકાયો હતો બનાવમાં યુવકને ગંભીર ઈજા પહોચતા પ્રથમ મોરબી સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

