HomeGujaratશિવરાત્રીના પર્વ નિમિતે જાહેર માર્ગો પર નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મુકવા VHPએ...

શિવરાત્રીના પર્વ નિમિતે જાહેર માર્ગો પર નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મુકવા VHPએ કરી માગ

શિવરાત્રી પર્વને ગણતરીના દિવસ બાકી છે અને ત્યારે શિવાલયમાં ભગવાન શિવજીની પૂજા અર્ચના અને શિવરાત્રી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા તૈયારી થઈ રહી છે તો શિવરાત્રી નિમિત્તે અનેક લોકો નિર્જળ ઉપવાસ કરતા હોય છે અને શિવજીને મનાવવા પ્રયાસ કરે છે જોકે જાહેર માર્ગો પર નોનવેજ અને ઈંડાના વેચાણ થી ભક્તોને અરુચિ ઉત્પન્ન થતી હોવાની ફરિયાદ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને શિવરાત્રી નિમિત્તે જાહેર માર્ગો પર નોનેવેજ વેચાણ તેમજ કતલખાના બંધ રાખવાની માગણી કરી હતી.

તા ક 18નાં રોજ હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી હોય અને આ પવિત્ર દિવસે હિન્દુ સમાજના દરેક લોકો એ ભગવાન શિવની પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે તો આ પવિત્ર દિવસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે.બીજી તરફ જાહેર માર્ગો પર ઈંડાની લારી અને નોનવેજનું વેચાણ પણ થતું હોય છે જેથી ભક્તોને ઉપવાસ દિવસે અરુચિ ઉત્પન્ન થાય છે આ કારણસર તહેવાર દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ અથવા કતલખાના ચાલુ હોય તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે અને એ જાહેરનામા ની કડક અમલ પણ થાય તે અંગે વીએચપી કાર્યકરોએ જિલ્લા કલેક્ટર ને આવેદપત્ર પાઠવ્યું હતું અને આ અંગેનું મોરબી જિલ્લા માં પણ એ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW