મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા અવાર નવાર પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવતી હોય છે આવી જ કામગીરી વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી જેમાં અનસ્ટોપેબલ વોરીયર્સની ટીમ દ્વારા લક્ષ્મીનગર ખાતે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનઃવસન કેન્દ્ર દ્વારા ત્યાં રહેતા પ્રજ્ઞા ચક્ષુ ભાઈઓ બહેનો તેમજ વડીલ માટે જમણવારનું આયોજન કર્યું હતું.આં આયોજનમાં અનસ્ટોપેબલ વોરીયર્સની ટીમના તમામ સભ્યો જોડાયા હતા અને વડીલોને ભાવતા ભોજન કરાવી દશેરા પર્વની સાર્થક ઉજવણી કરી હતી

