મોરબીના રાષ્ટ્રપ્રેમી તેમજ સેવાભાવી આગેવાન એવા અજય લોરિયા દ્વારા આ વર્ષની પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન દેશ માટે શહીદ થયેલા આર્મી જવાનોના પરિવારના લાભાર્થે કરવામાં આવ્યું હોવાનીં જાહેરાત કરી હતી. અને તેના ભાગરૂપે શહીદ જવાનના પરિવારને મોરબી ખાતે લાવવામાં આવી રહ્યા છે. અને શહીદ પરિવારનું જાહેરમાં સન્માન કરી તેમના પરિવારના સભ્ય દ્વારા દેશની સુરક્ષા માટે જે બલીદાન આપ્યું છે. તે બલીદાનને બિરદાવવા સહાય રૂપે રકમ આપવામાં આવી રહી છે

ત્યારે મંગળવારે બીજા નોરતામાં પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયાએ વડગામના શહિદ રમેશભાઈ તેમજ જમ્મુના શહીદ જવાન જસવંતસિહના પરિવારને રૂ 1-1 લાખનો ચેક આપવામાં આપી તેમના પરિવારજનોની મદદ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો

