મોરબીના નવલખી રોડ પર આવેલ રેલ્વે કોલોની વિસ્તારમાં બે દિવસ પૂર્વે એક રેલ્વે કર્મચારી બીપીનભાઈ ભનુભાઈ ડાઠીયા તેના ક્વાર્ટર નજીક કાગળ અને અન્ય કચરો સળગાવવા જતા હતા તે દરમિયાન અકસ્માતે કેરોસીન ભરેલ શીશો આગ પર પડતા આગ વધુ ભડકી હતી અને તેની જવાળ બીપીનભાઈના શરીર સુધી પહોચતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા જે બાદ તેઓને સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે એ ડીવીઝન પોલીસ અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

