વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં મેટ્રો ટ્રેન થલતેજથી વસ્ત્રાલના નવા રુટનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદના રહેવાસીઓ લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. આ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મોટો કાર્યક્રમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે બાકીના 33.5 કિમી, જેમાં 23 સ્ટેશન છે, ફ્લેગ ઓફ કરીને કામગીરી શરૂ કરશે. પીએમ મોદીએ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા આ 6.5 કિલોમીટરના પ્રોજેક્ટના નાના ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બે નવા રુટનું ઉદ્ઘાટન થશે. જોકે ચૂંટણી પહેલાં એમની આ મુલાકાતને રાજકીય માનવામાં આવી રહી છે. આ ઉપરાંત તેઓ ભાવનગરમાં રોડ શો કરશે

