વિરાટ દુબઈમાં છે. તેણે અને અનુષ્કાએ 6 મહિના પહેલા જ અલીબાગની આ જમીન જોઈ હતી. તે જ સમયે, તેના ભાઈ વિકાસે ટ્રાન્ઝેક્શન અને બાકીનું કામ પૂર્ણ કર્યું છે. કોહલી ભલે મેદાન પર ના ચાલે પણ સંપતિની બાબતમાં વિરાટ બની રહ્યો છે.
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ મળીને મુંબઈમાં 8 એકર જમીન ખરીદી છે. તેમની આ જમીન મુંબઈના અલીબાગના જીરાદ નામના વિસ્તારમાં છે. એવું માનવામાં આવે છે કે કોહલી અને અનુષ્કા અહીં સાથે મળીને આલીશાન ફાર્મ હાઉસ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોહલી પહેલા સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા જેવા પ્રખ્યાત સ્પોર્ટ્સ સ્ટાર્સ પણ અહીં જમીન લઈ ચૂક્યા છે.
કપલના રોકાણ માટે આ ખૂબ જ સુંદર જગ્યા છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ સુંદર જગ્યાની કિંમત પણ એટલી જ સુંદર છે. આ 8 એકર જમીન 19 કરોડ 24 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી છે. સાથે જ 1 કરોડ 15 લાખની રકમ સરકારી તિજોરીમાં જમા થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે વિરાટના ભાઈ વિકાસે 30 ઓગસ્ટે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું હતું. રિયલ એસ્ટેટ કંપની સમીરા હેબિટેટ્સ દ્વારા તેમની ડીલની પુષ્ટિ કરવામાં આવી છે.

