ભક્તો ગણેશ ચતુર્થીની તૈયારીઓમાં વ્યસ્ત છે, આ વર્ષે ગણેશ ચતુર્થી 31ઓગસ્ટ બુધવારના રોજ ઉજવાશે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે, શાસ્ત્રો અનુસાર વિશેષ રૂપે માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનો ખરો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે.
ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત જાણી લો
સવારે 6:23 થી 7:57 લાભ, સવારે 7:57 થી 9:31 અમૃત, બપોરે 11:05 થી 12:40 શુભ, સાજે 5:23 થી 6:57 લાભ, રાત્રે. 8:23 થી 9:48 શુભ
ગણેશજીને રીઝવવાના શ્રેષ્ઠ મંત્રો
ઓમ ગં ગણપતયે નમઃ, ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્
ગણેશજીને પ્રિય પ્રસાદ
ચુરમાના મોદક
અનેક પ્રકારના મોદક
ગોળપ્રિય
પુષ્પ લાલ પીળા જાસુદલાલ ગુલાબના પુષ્પપીળા કેસરી ગલગોટા

