HomeGujaratCentral Gujaratગુજરાતના દરેક પ્રધાન અને ધારાસભ્યો હવે PM ની નજરમાં

ગુજરાતના દરેક પ્રધાન અને ધારાસભ્યો હવે PM ની નજરમાં

સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત પૂર્ણેશ મોદીના ખાતા રાતોરાત છિનવી લેવાયા છે. હાઇકમાન્ડે સ્પષ્ટ સંદેશો આપી દીધો છેકે, પાર્ટીલાઇનમાં નહી રહે તેને સત્તાસ્થાનેથી ઉતારી દેવાશે. મંત્રી હોય કે પછી સંગઠનમાં હોદ્દેદાર, પોતાની મનમાની ચલાવી નહી શકે. એટલુ જ નહીં, ભ્રષ્ટાચાર કે ગેરરીતિની ફરિયાદ આવશે તો પણ નહી ચલાવી લેવાય. પ્રજાલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર આચરતા મંત્રી અને પદાધિકારીને ઘરનો રસ્તો દેખાડી દેવા નક્કી કરાયુ છે.

લીસ્ટ તૈયાર છે: મંત્રીઓથી માંડીને ધારાસભ્યોની નિષ્ક્રિયતા ભાજપને પોષાય તેમ નથી. આ જોતાં ભાજપના ધારાસભ્યોની કામગીરીના રિપોર્ટ પણ તૈયાર કરી દેવાયા છે. કયા ધારાસભ્ય સક્રિય છે અને કયા ધારાસભ્ય નિષ્ક્રિય છે તેની યાદી તૈયાર કરાઇ છે. અત્યારથી જ કઇ બેઠક પર વર્તમાન ધારાસભ્યનુ પત્તુ કપાય તો કયા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવા તે દાવેદારો અંગે અંદરખાને મંથન પણ થઇ રહ્યુ છે. ટૂંકમાં વ્યક્તિગત મૂલ્યાંકન આધારે જ ઉમેદવારને ટિકીટ આપવાની ભાજપની ગણતરી છે.

સીધી નજર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે પૂરજોશમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી છે. વડાપ્રધાનથી માંડીને કેબિનેટ મંત્રીઓની પણ ગુજરાતમાં આવનજાવન વધી છે. દરમિયાન, નબળા પરર્ફમન્સને કારણે બે સિનિયર મંત્રીઓના ખાતા છિનવી લેવાયા છે. સૂત્રના મતે, મંત્રીઓની કામગીરી પર ખુદ પીએમઓ સીધી નજર રાખી રહ્યુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ મોરચો સંભાળી લીધો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW