આઝાદીનાં અમૃત પર્વ એટલે કે 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર આ વર્ષે લાલ કિલ્લા પર આઝાદીની ઉજવણી પણ ખૂબ જ ખાસ છે. લાલ કિલ્લાની કિલ્લા પરથી દેશવાસીઓની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને સંબોધન પર રહેશે, સાથે જ આ વર્ષે પહેલીવાર સ્વદેશી બંદૂક સાથે 21 તોપોની સલામી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સતત નવમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. દેશવાસીઓને સંબોધિત કર્યા છે. આ આયોજન દેશની આઝાદીના 75 વર્ષ પૂરાં થયા તે નિમિત્તે થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવાર લાલ કિલ્લા પરથી પોતાની સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ પગલાંના પરિણામોની તેમજ ક્યારેક જાહેરાતો પણ કરે છે. લાલ કિલ્લા પરથી પૂર્વ પીએમ નહેરુએ 17 વાર અને ઈન્દિરા ગાંધીએ 16 વાર દેશને સંબોધન કર્યું હતું.
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वतंत्रता दिवस के अवसर पर लाल किला पर राष्ट्रीय ध्वज फहराया।#स्वतंत्रतादिवस pic.twitter.com/m4HM8o3Of3
— ANI_HindiNews (@AHindinews) August 15, 2022
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने #स्वतंत्रतादिवस के अवसर पर राजघाट पहुंचकर महात्मा गांधी को पुष्पांजलि अर्पित की। pic.twitter.com/gwBRjt0AXH
— ANI_HindiNews (@AHindinews) August 15, 2022
#WATCH Live: Prime Minister Narendra Modi addresses the nation from the ramparts of the Red Fort on #IndependenceDay (Source: DD National)
— ANI (@ANI) August 15, 2022
https://t.co/7b8DAjlkxC

