રાજ્યભરમાં ચકચાર જગાવનાર બોટાદ લઠ્ઠાકાંડમાં દેશભરમાં સરકારનું નાક કપાઈ ગયું છે ત્યારે હવે આ આ મામલે ગૃહ વિભાગે પણ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને બોટાદ એસપી કરનરાજ વાઘેલા તેમજ અમદાવાદગ્રામ્ય એસપી વીરેન્દ્રસિંહ યાદવની બદલી કરી દેવામાં આવી છે તો ડીવાયએસપી બોટાદ ડી વાય એસપી એસ કે ત્રિવેદી ધોળકા ડીવાયએસપી એન વી પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ધંધુકા પીઆઈ કે પી જાડેજા પીઆઈ સુરેશ બી ચૌધરી પીએસઆઈ એસ ડી રાણા બરવાળા પીએસઆઈ બી જી વાળા વગેરેને પણ ડી.જીએ સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

