HomeNationalશિવલિંગની પૂજાવાળી અરજી પર સુનવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી

શિવલિંગની પૂજાવાળી અરજી પર સુનવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી

કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી હાથ ધરવામાં આવી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, સૂર્યકાંત અને પીએસ નરસિમ્હાની વિશેષ બેંચ સમક્ષ આ મામલો સુનાવણી માટે આવ્યો છે. મુખ્ય કેસની સાથે સુપ્રીમ કોર્ટ મસ્જિદ પરિસરમાં મળેલા શિવલિંગની પૂજા કરવાની પરવાનગી માંગતી નવી અરજીઓ પર સુનાવણી કરવાની ના પાડી છે.

અયોગ્ય છે: સમગ્ર મામલાની છેલ્લી સુનવણી 20 મેના રોજ થઈ હતી. તે દિવસે સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસને વારાણસીના જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કર્યો હતો. આ આદેશ આપતી વખતે જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચે કહ્યું કે કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને તેને વધુ અનુભવી જજને મોકલવામાં આવી રહ્યો છે. ખંડપીઠે કહ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશે મુસ્લિમ પક્ષની અરજીને પ્રાથમિકતા આપવી જોઈએ, જેમાં હિન્દુ પક્ષનો કેસ સુનાવણી માટે અયોગ્ય હોવાનું કહેવામાં આવ્યું છે

નવી અરજીનો મામલો: જ્ઞાનવાપી સંકુલના કોર્ટ સર્વે દરમિયાન ત્યાં મળી આવેલા શિવલિંગ અને તેની નજીકના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી માંગતી 3 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. પ્રથમ અરજી 7 મહિલાઓની છે. તેમના નામ છે અમિતા સચદેવ, લક્ષ્‍મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ, રેખા પાઠક, પ્રિયંકા ગોસ્વામી અને પારૂલ ખેડા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW