વાંકાનેર તાલુકાના વિસીપરા વિસ્તારમાં આવેલા સ્મશાન રોડ પર છેલ્લા 4 મહિનાથી અજાણ્યા શખ્સો દ્વારા ગેરકાયદે બાંધકામ ખડકી જમીન પચાવી પાડી તેના પર પાકું મકાન અને તબેલો ખડકી દીધાની ફરિયાદ ઉઠતા વાંકાનેર મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં આરોપી ચંપાબેન લાખાભાઈ તેજાભાઈ માલકીયા, નાનજીભાઈ તેજાભાઈ માલકીયા,રામજીભાઈ તેજાભાઈ માલકીયા એમ ત્રણેય દ્વારા ગેરકાયદે બાંધકામ ઉભું કરવામાં આવ્યુ હોવાનું સામે આવતા વાંકાનેર મામલતદાર કચેરીના ઉતમકુમાર વિનયભાઈ કાનાણીએ તમામ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધી
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

