મોરબી શહેરના વાલ્મીકી વાસ વિસ્તારમાં રહેતા અને નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા અરુણ ભીખાભાઈ પરમાર પર વજેપર વિસ્તારમાં રહેતા ભાવેશ પ્રભુભાઈ વાઘેલા અને મનીષ પ્રભુભાઈ વાઘેલા આવી ચઢ્યા હતા અને તારા ઘરના સભ્યો અમારા ઘર સામે કચરો કેમ નાખે છે તેમ કહી ઝઘડો કર્યો અને તેમની સાથે ગાળાગાળી કરી હતી આ ઉપરાંત આરોપી મનીષે અરુણભાઈને હાથમાં ધોકો માર્યો હતો ઝઘડાની જાણ થતા પરિવારજનો ઘરની બહાર નીકળી અરુણભાઈને બચાવ્યા હતા જે બાદ આરોપીઓએ આજે બચી ગયો હવે સામે આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી ફરાર થઇ ગયા હતા

