મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે આવેલ રામધન આશ્રમમાં આવેલ મહંત ભાવેશ્વરી માતાની હાજરીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.સવારે વ્યાસ પૂજન અને કુમારિકા પૂજન કરવામાં આવ્યું હતું . બાદમાં ભાવેશ્વરી દેવીના શિષ્યા રત્નેશ્વરી દ્વારા સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે મંત્રી બ્રિજેશ મેરજા પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા તેમજ મોરબી રાજકોટ અને અલગ અલગ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો હાજરી રહી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

