ડિસેમ્બરમાં ત્રિવેન્દ્રમથી પદયાત્રા શરૃ કરનાર કિરણ વર્મા 4 હજારથી વધુ કિ.મની પદયાત્રા કરીને હાલ ગુજરાતના પ્રવાસે છે.અમદાવાદ બાદ સુરેન્દ્ર નગર અને રાજકોટ થઈને હાલ આ યુવાન દિવ સુધી પહોંચ્યો છે.
અનોખી પદયાત્રા: દુનિયામાં 14મી જુનનો દિવસ વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામા આવે છે ત્યારે આ દિવસની ઉજવણીને ખરા અર્થમાં હાલ સાર્થક કરી રહ્યો છે કે દિલ્હીનો યુવાન કિરણ વર્મા કે જે છેલ્લા છ મહિનાથી રક્તદાન જાગૃતિ માટે ભારતની પદયાત્રા કરી રહ્યો છે.કિરણ વર્માએ ગત 21 ડિસેમ્બરે દક્ષિણ ભારતના ત્રિવેન્દ્રમથી પદાયાત્રા શરૃ કરી હતી. છેલ્લા 150 દિવસમાં છ રાજ્યોમાં પગપાળા પ્રવાસ કર્યો છે.થોડા દિવસ પહેલા કિરણ વર્મા અમદાવાદમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ વિરમગામ થઈને સુરેન્દ્ર નગર અને ત્યાંથી રાજકોટ થઈને ભાવનગર પહોંચ્યો છે.

જન જાગૃતિ યાત્રા: આ પદયાત્રા દરમિયાન ૩૮થી વધુ બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે અને જેમા ૭૫૦૦થી વધુ લોકોએ બ્લડ ડોન કર્યુ છે. કિરણ વર્મા કહે છે કે કોરોના દરમિયાન દેશમાં લોહીની ખૂબ જ અછત ઉભી થઈ હતી અને લોકોમાં હજુ પણ જોઈએ તેટલી રક્તદાન માટે જાગૃતિ નથી.કોરોનામાં ઉભી થયેલી કપરી આરોગ્ય સ્થિતિ બાદ મેં રક્તદાન જાગૃતિ ફેલાવવાનો નિશ્ચર્ય કર્યો

