HomeGujaratઆતંકી હુમલાના એલર્ટ વચ્ચે દ્વારકામાં સુરક્ષા વધારી દેવાઈ

આતંકી હુમલાના એલર્ટ વચ્ચે દ્વારકામાં સુરક્ષા વધારી દેવાઈ

આતંકી સંગઠન અલકાયદા દ્વારા રાજ્યમાં હુમલાની ધમકી આપવામાં આવી છે. જેને લઇ દ્વારકાધીશના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હુમલાની ધમકીને લઇ દ્વારકાધીશના મંદિરમાંથ્રી લેયર સુરક્ષા કરવામાં આવી છે. આ સાથે દ્વારકામાં પ્રવેશ મેળવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અહી ખાસ નજર: ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે-બસ સ્ટેશનમાં પોલીસની નજર ખાસ રહશે. મંદિરમાં કરાઈ થ્રી લેયર સુરક્ષા કરી, તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરાયું છે. ભીડ-ભાડવાળી જગ્યામાં પોલીસે ચાંપતી નજર રાખી છે. આતંકવાદી હુમલાના ઈનપુટને લઈ તંત્ર અને પોલીસે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી છે.

વાહન ચેકીંગ શરૂ: દ્વારકા જિલ્લો 3 તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોઈ જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલ હોવાથી હરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ તરફ હવે આતંકવાદી હુમલાની દેહશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા જિલ્લામાં એન્ટ્રી કરતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW