શુક્રવારે આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો, પરંતુ નાગાંવ, હોજાઈ, કચર અને દરરંગ જિલ્લામાં સ્થિતિ ગંભીર રહી હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, રાજ્યના 29 જિલ્લાઓમાં લગભગ 7.12 લાખ લોકો પૂરની ઝપેટમાં છે. આ સાથે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. ઓથોરિટીએ કહ્યું છે કે, પૂરના કારણે રાજ્યમાં એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બજલી, બક્સા, બરપેટા, વિશ્વનાથ, બોંગાઈગાંવ, કચર, દારંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, દિમા હસાઓ, ગોલપારા, હૈલાકાંડી, હોજાઈ, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, કાર્બી આંગલોંગ વેસ્ટ, કરીમગંજ, કોકરાઝાર, લખીમપુર, માજુલીગાંવ, નાજુલી નલબારી, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લા પૂરથી પ્રભાવિત છે

નાગાંવ જિલ્લામાં 3.36 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે કેચર જિલ્લામાં 1.66 લાખ, હોજાઈમાં 1.11 લાખ અને દરંગ જિલ્લામાં 52,709 લોકો પ્રભાવિત (death of children in Assam) થયા છે. શુક્રવારે કચર, લખીમપુર અને નાગાંવ જિલ્લામાં પૂરના પાણીમાં બે બાળકો સહિત ચાર લોકો ડૂબી ગયા હતા, જેનાથી પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો હતો. રિપોર્ટ અનુસાર, 80036.90 હેક્ટર પાક જમીન અને 2,251 ગામો હજુ પણ પાણી હેઠળ છે. કુલ 74705 પૂર પ્રભાવિત લોકો હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત 234 રાહત શિબિરોમાં રહે છે.

