વ્યારા નગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં જગ્યા બાબતે ફરી રહીશો વિરોધ કર્યો હતો. આ વખતે રહીશોએ રસ્તો બંધ કરી આગામી વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કરવાના બેનર સાથે દેખાવ કર્યા હતા.
આગાઉ આ સમસ્યાને લઈને અધિકારીઓએ પણ જગ્યા બાબતે કાર્યવાહી કરાશે તેવું સ્થાનિકોને કહ્યું હતું. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે વારંવારની રજૂઆતથી થાકી તેમણે વિરોધ નોંધાવ્યો હતો. તો આ વિરોધને તેજ બનાવી ‘સ્થાનિક કોર્પોરેટર રાજીનામું આપે’ના પ્લેકાર્ડ બતાવી વિરોધ કર્યો હતો. તો બીજી તરફ નાના શાકભાજી વિતરકોની હાલત દયનીય બની છે.

