દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે રાજીવ કુમારની નિમણુંક કરવામાં આવી છે. તે આ મહીનાની 15મી તારીખે પોતાનો કાર્યભાર સંભાળશે. આ વાતની સૂચનાની જાણ કરવામાં આવી છે. હાલ મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ ચંદ્રા છે જે 15 મેં ના રોજ રિટાયર્ડ થઇ રહ્યા છે.
રાજીવ કુમાર 1984 બેંચના IAS છે. 2 સપ્ટેમ્બર 2020ના ચૂંટણી કમિશ્નરના રૂપમાં કાર્યભાળ સાંભળી રહેલા રાજીવ કુમાર 15 મેં 2022થી 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ પર રહેશે. 2025 ના રોજ રાજીવ કુમારનો 65 મોં જન્મદિવસ છે સવિંધાન મુજબ મુખ્ય ચૂંટણી કમિશ્નરનો કાર્યકાળ છ વર્ષ અથવા તો 65 વર્ષ સુધી હોય છે.

ભારત સરકારમાં 36 વર્ષો કરતા વધારે સેવા દરમિયાન કેન્દ્રમાં વિવિધ મંત્રાલયો અને બિહાર, ઝારખંડના પોતાના રાજ્ય સવર્ગમાં કામ કર્યું છે. બીએસસી, એલએલબી, પીજીડીએમ અને એમએ પબ્લિક પોલિસીની શૈક્ષણિક ડિગ્રી મેળવ્યા બાદ રાજીવ કુમારને સામાજિક ક્ષેત્ર, પર્યાવરણ અને વન, માનવ સંસાધન, વિત અને બેન્કિંગ ક્ષેત્રમાં વ્યાપક કાર્યનો અનુભવ છે.

