હિન્દુ ધર્મ અને વસ્તુ શાસ્ત્રમાં અમુક કામને રાત્રે કરવાની મનાઈ કરવામાં આવી છે. જોકે આ પાછળનું એક વૈજ્ઞાનિક કારણ છે. જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો જીવનમાં મોટું નુકસાન થાય છે.
વડીલ એવું કહે છે કે રાતના સમયમાં નખ ન કાપવા જોઈએ. રાતના સમયે નખ કાપવાથી ગરીબી આવે છે એવું મનાય છે. આગાઉના સમયમાં જ્યારે ઘરમાં લાઈટ ન હતી એ સમયે કહેવાતું કે, રાત્રે નખ ના કાપવા જોઈએ. જેથી અંધારાના કારણે નખમાં કોઈ ઇજા ના થાય. ધર્મ જ્યોતિષ અને વસ્તુ શાસ્ત્ર અનુસાર રાત્રે નખ કાપવા થી માતા લક્ષ્મી નિરાશ થઈ જાય છે. દેવું વધી જાય છે. આર્થિક નુકસાન થાય છે. બચત રાતોરાત ઘટી જાય છે. સાંજના સમયમાં લક્ષ્મીનું આગમન થતું હોય એવું મનાય છે. તેથી સાંજે સાફ સફાઈ સબંધી કામ સાંજ પહેલા કરવા જોઈએ.

