HomeGujaratCentral Gujaratકોરોના બાદ રાજ્યમાં દેખાઈ આ નવી બિમારી, ભરૂચમાં તંત્ર દ્વારા લેવાયું મોટુ...

કોરોના બાદ રાજ્યમાં દેખાઈ આ નવી બિમારી, ભરૂચમાં તંત્ર દ્વારા લેવાયું મોટુ પગલું

દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લુએ દસ્તક આપી છે. મહારાષ્ટ્રના થાણેમાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 મરઘીઓના અચાનક મોતથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ બર્ડ ફ્લુની દહેશત વધી છે. જેના કારણે ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગે 400થી વધુ સ્થળેથી સેમ્પલ લીધા છે.

રાજ્યમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે હવે બર્ડફ્લુએ દસ્તક દીધી છે. મહારાષ્ટ્રના થાણેમાં આવેલા એક પોલ્ટ્રી ફાર્મમાં 100 મરઘીઓના મોતથી આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આ ઘટનાના પગલે ભરૂચ જિલ્લામાંથી 400થી વધુ સ્થળેથી આરોગ્ય વિભાગે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. આ સેમ્પલોને પુનાની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે. આ સેમ્પલોમાં સૌથી વધારે આમોદ તાલુકાની પોલ્ટ્રી ફાર્મના 300 સેમ્પલોનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW