મોરબી જિલ્લાના બગથળા ગામે એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. ગામના રહેવાસી લીલાવતીબેન મગનભાઈ સાણંદીયા (ઉ.વ. 55)નું પાણીના ટાંકામાં પડી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, લીલાવતીબેન ગઈકાલે બપોરે આશરે સાડા બાર વાગ્યાના સમયે પોતાના ઘરે હતા, ત્યારે અકસ્માતે ઘરના પાણીના ટાંકામાં પડી ગયા હતા. ટાંકામાં ડૂબી જવાથી તેમની સ્થિતિ ગંભીર બની હતી. બાદમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કાર્ય હતા. આ બનાવ અંગે પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

