રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મોરબી એ ડિવિઝન પોલીસ અરજદારોનો ખોવાયેલો રૂ. ૬૨.૬૩ લાખનો મુદ્દામાલ પરત કર્યો છે. આ મુદ્દામાલમાં ૨૨ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાનો સમાવેશ થાય છે.પોલીસે ગુમ થયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂ. ૪,૧૩,૦૮૯ આંકવામાં આવી છે. આ ઉપરાંત, એક અરજદારનું રૂ. ૬ લાખનું સોનાનું પેન્ડલ, ચાર સોનાના બિસ્કીટ અને સોનાનો ચેન પણ પરત કરવામાં આવ્યા હતા. સોનાના દાગીનાની કુલ કિંમત રૂ. ૫૨,૫૦,૦૦૦ થાય છે.
આ મુદ્દામાલ શોધવા માટે પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કર્યો હતો. ગુમ થયેલા મોબાઈલ ફોન અને સોનાના દાગીના શોધી કાઢીને મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા.

