ટંકારાના બંગાવડી ગામમાં રહેતા કંચનબેન પ્રફુલ્લભાઈ દેત્રોજા દ્વારા ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના જ ગામના હરેશભાઈ પરસોત્તમભાઈ દેત્રોજા તથા મુકતાબેન હરેશભાઈ દેત્રોજા સાથે વ્યક્તિગત મનદુખ ચાલી રહ્યું હતું.
ફરિયાદીનો આક્ષેપ છે કે, હરેશભાઈનો તેમની બહેનો સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં તેમની બહેનો ફરિયાદીના ઘરે આવતાં-જતાં હોવાથી આરોપીઓને આ બાબત ખટકતી હતી. ઉપરાંત બંગાવડી ગામે ફરિયાદીની જમીન બાબતે પણ મનદુખ હોવાના કારણે આરોપીઓએ ફરિયાદી તથા તેમના સાથીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

