23 સપ્ટેમ્બરના રોજ નેશનલ કેડેટ કોર્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે આં એન એસ એસ ડે નિમિતે મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજના અભ્યાસ કરતા એનસીસીના કેડેટ્સ દ્વારા પ્રેરણા દાયી ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના NCC કેડેટ્સે પરેડ, ડ્રિલ અને સ્વચ્છતા અભિયાન જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રભક્તિનો અનોખો દાખલો પૂર્યો હતો.એનસીસીના કેડેટ્સ દ્વારા શહેરના વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાની સફાઈ કરી હતી અને પુષ્પાંજલિ કરી હતી સવારે કોલેજના પટાંગણમાં NCC કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ અને દૃઢ પરેડ નું આયોજન થયું હતું. કેડેટ્સે એકસરખા પગલાં, તેજસ્વી મનોબળ સાથે સૌનું ધ્યાન ખેંચી લીધું. આ તકે નવયુગ ગ્રુપ ઓફ કોલેજના પ્રમુખ પી ડી કાંજીયાએ એનસીસી દિવસની શુભેચ્છા પાઠવી હતી તેમજ તેઓએ જણાવ્યું હતું કે NCC માત્ર તાલીમ નથી, તે રાષ્ટ્ર માટે જીવવાની સન્માનસભર પ્રેરણા છે.”

