HomeGujaratમોરબી મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અંતર્ગત ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં...

મોરબી મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અંતર્ગત ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન

મોરબી મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0(શહેરી)નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગકોડના ધારા -ધોરણ મુજબ 30 ચો.મી થી 45 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય -બાથરૂમની સુવિધાસાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ રૂ. 1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રકમ રૂ. 2,50,000 એમ કુલ મળીને રકમ રૂ. 4,00,000ની સહાય ૪(ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ. 3.00(ત્ર ણ) લાખ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી. તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે, તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા કેમ્પ(મેળા)નું આયોજ ન કરવામાં આવે છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન( BLC) ઘટકના કેમ્પ(મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક કેમ્પ તારીખ 07 ઓગસ્ટ 2025ને ગુરુવારના રોજ સવારે 10:30 થી સાંજના 5:30 સુધી મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-9 કચેરી શનાળા પોસ્ટ ઓફિસની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે તથા અન્ય કેમ્પ તારીખ 08 ઓગસ્ટ 2025ને શુક્રવારના રોજ સવારે 10:30 થી 5:30 સુધી મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર- 11 કચેરી લીલીપર પ્રાથમિક શાળાની બાજુમાં લીલાપર મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW