મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલની પાછળ હદાણીની વાડીમાં રહેતા કિર્તીબેન મહીપતભાઇ કંઝારિયા નામના મહિલાને ગઈકાલના રોજ પ્રસુતીની પિડા ઉપડતા મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે લઈ આવતા હોસ્પિટલની સીડીઓ ચડતા અચાનક કીર્તિબેનને આચકી આવતા બેભાન થઈ ગયેલ હોય અને હોસ્પિટલ ખાતે ડોકટરે જોઇ તપાસી કિર્તીબેન તેમજ તેના ગર્ભમા રહેલ બાળક બન્ને મરણ ગયેલ હોવાનુ જણાવતા મોરબી સરકારી દવાખાને પી.એમ. માટે લાવતા રાજકોટ ફોરેન્સીક ખાતે પી.એમ. ખસેડવામાં આવ્યા છે.